ભરતી:7160 આંગણવાડી કાર્યકરોની કરાશે ઓનલાઈન ભરતી
અમદાવાદ4 વર્ષ પેહલા
Loading advertisement...
રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ રહી છે ત્યારે આંગણવાડી કેન્દ્રોમાં 7160 કાર્યકરો અને તેડાગર બહેનોની ઓનલાઇન ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ ભરતી માટે ખાસ વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવી છે જે દેશમાં પ્રથમ પ્રયોગ છે.
Loading advertisement...
હાલમાં 1.04 લાખ માનદ સેવકોની જગ્યા પૈકી 97098 જગ્યાઓ ભરેલી છે. આગામી છ મહિનામાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરી તમામ જિલ્લામાં 45 દિવસમાં ભરતીની સાઇકલ પૂર્ણ કરવાનું આયોજન છે.
Loading advertisement...