તમારું શહેર પસંદ કરો

    રાજ્ય

    અમદાવાદ
    અમરેલી
    આણંદ
    અરાવલી
    બનાસકાંઠા
    ભરૂચ
    ભાવનગર
    બોટાદ
    છોટાઉદેપુર
    દાહોદ
    ડાંગ
    દેવભૂમિ દ્વારકા
    ગાંધીનગર
    ગીર સોમનાથ
    જામનગર
    જુનાગઢ
    ખેડા
    કચ્છ
    મહીસાગર
    મહેસાણા
    મોરબી
    નર્મદા
    નવસારી
    પંચમહાલ
    પાટણ
    પોરબંદર
    રાજકોટ
    સાબરકાંઠા
    સુરત
    સુરેન્દ્રનગર
    તાપી
    વડોદરા
    વલસાડ

    NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ સમાચાર
    હોમ / ન્યૂઝ / દેશવિદેશ / આયુષ્યમાન ભારત યોજનામાં તમારૂ નામ છે કે નહી? ઘરે બેઠા આ રીતે ચેક કરી શકાય

    આયુષ્યમાન ભારત યોજનામાં તમારૂ નામ છે કે નહી? ઘરે બેઠા આ રીતે ચેક કરી શકાય

    ઘણા લોકોને ભારત સરકારની આ લાભકારી યોજનામાં પોતાનું નામ છે કે નહી તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જો છે તો કેવી રીતે ખબર પડે?

    જાહેરાત

    તમારૂ નામ આયુષ્યમાન ભારત યોજનામાં છે કે નહી આ રીતે કરો ચેક

    સંબંધિત વીડિયોઝ
    જાહેરાત

    આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં સામાન્ય બિમારીઓની સાથે 23 જેટલી ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેન્સરમાં પણ દર્દીને તાત્કાલીક લાભ મળશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના તરફથી 1354 બિમારીનું લિસ્ટને તૈયાર કર્યું. ઘણા લોકોને ભારત સરકારની આ લાભકારી યોજનામાં પોતાનું નામ છે કે નહી તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જો છે તો કેવી રીતે ખબર પડે? તો એમે તમને જણાવીશું કેવી રીતે તમારી ફેમિલી આયુષ્યમાન ભારત યોજનામાં આવે છે કે નહી આ રીતે ચેક કરી શકાય.

    સૌથી પહેલાં તમારે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સરકારની વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગ ઇન કરવાનું રહેશે. લોગ ઇન કરતા જ આપે Home Page પર આપનો મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે. તેની બરાબર નીચે આપને કૈપ્ચા જોવા મળશે કે જેમાં આપવામાં આવેલા નંબરોને આપે ખાલી બોક્સમાં ભરવાનાં રહેશે.

    ત્યાર બાદ “જનરેટ OTP” ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરતા જ આપનાં મોબાઇલ પર એક OTP નંબર આવશે કે જેને વેબસાઇટ પર જઇને તમે વેરિફાઇ કરી લો.

    સંબંધિત સમાચાર

    હવે આપની સામે એક નવું જ પેજ ખુલી જશે. જેમાં આપે આપનાં રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યાર બાદ આપ પોતાનો મોબાઇલ નંબર અથવા કોઇ અન્ય ઉપલબ્ધ જાણકારી નાખીને પોતાને નામને સર્ચ કરી શકો છો.

    વેબસાઇટ પર એક વખત આપનું નામ રજિસ્ટર થઇ જાય. ત્યાર બાદ આપ આપનાં રેશન કાર્ડ અથવા તો મોબાઇલ નંબરની મદદથી આપ જાણી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળી રહેલ છે કે નહીં.

    જાહેરાત

    જો કે વેબસાઇટ પર માત્ર તેવાં જ લોકોનાં નામ જોવા મળશે કે જેઓએ પોતાનો મોબાઇલ નંબર અથવા તો રેશન કાર્ડ નંબર જમા કરાવ્યો હોય. હકીકતમાં હાલમાં જ આ યોજનાને માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેમાં સામાજિક-આર્થિક જાતિ જનગણના ડેટાબેસને આધારે લોકો પાસેથી તેઓનો મોબાઇલ નંબર અને રેશન કાર્ડ નંબર માંગવામાં આવ્યું હતું.

    જાહેરાત

    જો આપનું નામ વેબસાઇટ પર દેખાય નહીં તો પણ આપે વધારે ગભરાવવાની જરૂરિયાત નથી. આને માટે આપને ડેટાબેસમાં આપનું નામ, પિતાનું નામ, લિંગ અને રાજ્યનું નામ અંકિત કરવાનું રહેશે.

    ત્યાર બાદ સર્ચ કરવા પર આપનું નામ આવી જશે, બાદમાં આપ “ગેટ એસએમએસ” ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ આપની પાસે એક મેસેજ આવશે, જેમાં આપને એક નંબર મળશે. તે નંબરને આપ સંભાળીને રાખો, કેમ કે આ ભવિષ્યમાં ખૂબ કામ આવશે.

    જાહેરાત

    જો આવું કરવા છતાં પણ આપનું નામ સર્ચ કરવા પર ના આવે તો આપ “આયુષ્માન મિત્ર”ને સંપર્ક કરો અને આને માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવો. ત્યાર બાદ આપ ચેક કરી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળશે કે નહીં.

    ટોપ વીડિયોઝ
    • October 23, 2023, 3:33 pm IST કેન્સરથી પીડિત મહિલા બની પગભર, આ સમાજે ઝાલ્યો હાથ
    ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

    ફોટો

    મહત્વપૂર્ણ સમાચાર