રૂપાણી સરકારે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહમાં 100 લોકોને એકઠા થવાની છૂટ આપી છે પણ તેનો અમલ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત મનોરંજનના કાર્યક્રમો માટે પણ એક સામટા 100થી વધુ જણા એકત્રિત થઈ શકશે નહિ. બીજ તરફ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે 20 કરતાં વધુ લોકો એકઠા નહીં થઈ શકે.
આ માટે પણ નિયમ બનાવાયો છે કે, આ કાર્યક્રમોમાં આવનારે માસ્ક પહેરીને અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ અકઠા થવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર કરવા અંગે પણ આરોગ્ય ્ને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની રહેશે અને તેની માર્ગદર્શિકાને અનુસરવાની શરત સાથે જ આ મંજૂરી આપવામાં આવશે. આ રીતે એકઠા થનારાઓ માટે સેનિટાઈઝરની પણ અલગથી વ્યવસ્થા કરવાની રહેશે.
આ રીતે હજુ પણ કોઈ મોટા સમારોહ યોજી શકાશે નહિ. મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત કરી શાકાશે નહિ. આ તમામ કાર્યક્રમો માટે 8 જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને તે માટે અનુસરવી પડશે.